સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

જામનગરમાં ભાગવત કથામાં ભાવિકોએ લીધો ધર્મલાભ

જામનગર, અહિયા વોર્ડ પ માં ગાયત્રી મંદિર પાસે રાજનગર વિસ્તારમાં સતત સાત વર્ષથી યોજાતા સત્સંગ મંડળના બહેનોએ સ્વખર્ચે સામુહિક રીતે ભેગા મળી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં વ્યાસપીઠ પર બિરાજી શાસ્ત્રી ઋષિ મહારાજે(મોટી હવેલી) રસપાન કરાવ્યું હતું. ભાગવત સપ્તાહ દરમિયાન વિસ્તારનાં સત્સંગી બહેનો એ પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, કોપોેરેટર ડીમ્પલબેન રાવલનું શાલ ઓઢાડી સન્માન કયુંર્ઙ્ગ હતું આ પ્રસંગે રૂક્ષ્મણી વિવાહ શ્રી કુષ્ણજન્મ. વિગેરે ધાર્મિક પ્રસંગોમાં વિસ્તારનાં લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. તે તસ્વીરોમાં દર્શાય છે.(અહેવાલઃ મુકુન્દ બદિયાણી, તસ્વીર જગત રાવલ, જામનગર)

(1:12 pm IST)