સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

મોરબીમાં કારખાનાના ધાબા પરથી પડી જતાં પરપ્રાંતિય મજૂરનું મોત

રાજકોટ તા. ૧૭: મોરબીમાં રાત્રીના સમયે પરપ્રાંતિય મજૂર કારખાનાના ધાબા પરથી પડી જતાં ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના ઘુંટૂ રોડ પર આવેલી રિયલ વિટ્રીફાઇડ સિરામીક પાસે રહેતો અને કારખાનામાં કામ કરતો શુકુલ પાંગળાભાઇ બાયકે (ઉ.૩૦) નામનો યુવાન રાત્રે એકાદ વાગ્યે અકસ્માતે કારખાનાની અગાસી પરથી પડી જતાં મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી મોરબી પોલીસને જાણ કરી હતી.

(11:43 am IST)