સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

ધોરાજીઃ રેવન્યુ બાર એશો.પ્રમુખ પદે રાજેશભાઇ બાલધાની પસંદગી

ઉપપ્રમુખ તરીકે જીજ્ઞેશભાઇ ટીલાળા

ધોરાજી તા.૧૭: તાજેતરમાં ધોરાજી રેવન્યુબારના સભ્યોની મીટીંગ યોજાઇ હતી જેમાં પ્રમુખ તરીકે રાજેશભાઇ આર.બાલધા તેમજ ઉપપ્રમુખ તરીકે જીગ્નેશ કે.ટીલાળાની સર્વાનુમતે વરણી કરાતા તમામ સભ્યોએ નવી વરણીને આવકારેલ.

નવનિયુકત પ્રમુખ રાજુભાઇ બાલધાએ જણાવેલ કે છેલ્લા ઘણા સમયથી સ્ટેમ્પની અછત છે જેથી લોકોને સરળતાથી સ્ટેમ્પ મળી જાય તે અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરશે અને નવા સ્ટેપવેડરોની નિમણુંક થાય તે અંગે પણ કાર્યવાહી કરાશે તેમજ ઇ સ્ટેમ્પીંગ બંધ છે તે પણ તાત્કાલીક ચાલુ થાય તે અંગે પણ રજુઆત કરશે એમ નવનિયુકત પ્રમુખ રાજુભાઇ બાલધા અને જીગ્નેશ ટીલાળાની યાદીમાં જણાવેલ હતું.

(11:39 am IST)