વાંકાનેરમાં પતાળીયા બ્રિજ બનાવવાની કામગીરીમા વિલંબથી વાહન ચાલકો હેરાન
વાંકાનેર તા.૧૭: રાજકોટ થી વાંકાનેર અને વાંકાનેર થી રાજકોટ જતા સ્ટેટ હાઇવે રોડ કે જે નેશનલ હાઇવે ને જોડતો રસ્તો છે. જે રસ્તાને જોડતો પતાળીયા બ્રિજ (પતાળીયા બેઠો પુલ) મોટો બનાવવા માટેનું આયોજન થયેલ અને જુનો પુલ તોડી પડાયો છે
આ અંગેનું જાહેરનામુ મોરબી જીલ્લા કલેકટર આઇ.કે.પટેલે તા.૧૬-૨-૧૮થી તા.૧૫-૫-૧૮ સુધીની મુદ્દત માટે આ રસ્તો બંધ કરી દેવાયો છે. તેમ છતાં લોકો અને વાહન ચાલકોને બાનમાં રાખ્યાનો તાલ જોવા મળે છે.
પુલ તોડાયા બાદ હજુ સુધી આ પુલ બનાવવાની કોઇ જ કાર્યવાહીનો આરંભ થયો નથી. જે એ સ્પષ્ટ સંકેતો આપે છે કે, કલેકટર શ્રી દ્વારા અપાયેલ જાહેરનામાની અંતિમ અવધિ ૧૫-૫-૧૮ સુધી નવો પુલ બની જવો શકય છે? એ અંગે લોકોમાં વિવિધ ચર્ચાઓ છે.
આ પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થતા હતા તે વાહન વ્યવહાર હાલ ઠપ્પ છે.લોકો હવે જાહેરનમાની અવધિ અંગે ચર્ચાઓ કરી રહ્યા છે.