સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

સુરેન્દ્રનગરના કરનગઢ પાસે અકસ્માતમા એકનુ મોત

વઢવાણ તા.૧૭: સુરેન્દ્રનગરના કરનગઢ અને અનિદરા ગામ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યકિતનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મોડી રાત્રીના તાંબા-પિતળના બેડા ભરીને આવી રહેલ યુટીલીટી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં એક વ્યકિતનુ મોત નીપજતા અરેરાટી વ્યાપી છે.

રાત્રીના ઘટના સ્થળે થોડી વાર માટે ટ્રાફીક જામ થઇ ગયો હતો.

(11:23 am IST)