સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th February 2019

આતંકી હુમલાના વિરોધમાં ભાવનગરની બજારો બંધ :ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો ;રેલી યોજાઈ

ભાવનગર :આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનો પ્રત્યે દેશભરમાં સહાનુભુતિ દાખવાઈ રહી છે. લોકો શહીદોને શ્રધ્ધાંજલિ આપવાના કાર્યક્રમો કરી રહ્યા છે. શહિદોના પરિવાર માટે સહાયનો ધોધ પણ વરસી રહ્યો છે. ત્યારે આજે ભાવનગરના પિરછલ્લા, એમ.જી.રોડ, વોરા બજાર સોની બજાર સહિતના વેપારીઓએ બંધ પાળી, હુમલાનો વિરોધ કરી શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને વિશાળ રેલી કાઢી હતી.

(2:53 pm IST)