સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th February 2018

વીજ પોલ પર ચડીને માપ લેતા યુવાનનું વીજ શોક લાગતા મોત

માણાવદરની ઘટનાથી અરેરાટી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૭: માણાવદરમાં વીજ પોલ પર ચડીને માપ લેતા યુવાનનું વીજ શોક લાગતા કરૂણ મોત નિપજયું હતું.

આ અંગેની વિગતો એવી છે કે માણાવદર ખાતે ગઇકાલે સાંજે પાર્થ વજુભાઇ ગોહેલ (ઉ.વ.૨૦) નામનો યુવાન વીજ થાંભલા પર ચડીને માપ લેતો હતો.

ત્યારે ૧૧ કેવીજ લાઇનમાંથી કરંટ લાગતા પાર્થનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ થયું હતું.

મરનાર યુવક ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામનો વતની હોવાનું જાણવા મળેલ છે. (૪.૧૧)

 

(1:46 pm IST)