News of Saturday, 17th February 2018
સણોસરામાં ૧૧ દિ' પહેલા દાઝેલી ભરવાડ પરિણીતા જલ્પાનું મોત
રાજકોટ તા. ૧૭: કુવાડવાના સણોસરા ગામે રહેતી જલ્પાબેન કાનાભાઇ ફાંગલીયા (ઉ.૨૫) નામની ભરવાડ પરિણીતાનું દાઝી જતાં મોત નિપજ્યું છે.
જલ્પાબેન ૬/૨ના રોજ સ્ટવ પર પાણી ગરમ કરતી હતી ત્યારે સળગતા સ્ટવમાં કેરોસીન પુરવા જતાં ભડકો થતાં દાઝી ગઇ હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રીના દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. વી. પી. આહિરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં પાંચ માસની એક પુત્રી છે. જે મા વિહોણી થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
(12:03 pm IST)