વાંકાનેરમાં કોળી સેના દ્વારા માધાંતાજી પ્રાગટય દિનની હર્ષભેર ઉજવણી
વાંકાનેર તા. ૧૭: અહિ કોળી સમાજના વંદનીય શ્રી માંધાતાનો પ્રાગટય દીન દર વર્ષ કોળી સેના અને માંધાતા ગ્રુપ દ્વારા ૧૪મી જાન્યુઆરીએ મોરબી જીલ્લા કોળી સેના પ્રમુખ રમેશભાઇ મકવાણાના નેતૃત્વ હેઠળ ધામધુમથી ઉજવાય છે. આ વર્ષ પણ વિર માંધાતાનો પ્રાગટય દીન શહેરના જુદા જુદા વિસ્તારના માંધાતા ગ્રુપના યુવાનો અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવાયો હતો.
આ પાવન પ્રસંગે કોળી સમાજના અને માંધાતા ગ્રુપના યુવાનોનો જુસ્સા વધારવા અને જ્ઞાતિ પ્રત્યેનો પોતાનો પ્રેમભાવ રજુ કરવા સંસદીય સચીવ અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ હીરાભઇા સોલંકી પણ વાંકાનેર પધાર્યા હતા તેમનુ મોરબી જીલ્લા કોળી સેના પ્રમુખ રમેશભાઇ મકવાણાએ સન્માન કર્યુ હતું.
શ્રી માધાંતાની તસ્વીર સમક્ષ દિપ પ્રાગટય સાથે તેમની જયજયકાર કરી ભાવ વંદના સાથે હીરાભાઇ સોલંકી અને રમેશભાઇ મકવાણાનુ પણ સન્માન કર્યુ હતું.