News of Friday, 17th January 2020
અમદાવાદનાં યાત્રીકનું શેત્રુંજય પર્વત ઉપર હાર્ટએટેકથી મોત
પાલીતાણા, તા., ૧૭: પાલીતાણા શેત્રુંજય ગીરીરાજની યાત્રા દરમ્યાન અમદાવાદ વાસણાના ગૌતમભાઇ ચંદુભાઇ શાહ (ઉ.વ.૬ર)સવારે યાત્રા માટે પોતે પત્ની સાથે યાત્રા કરતા હતા.
તેઓ આદીશ્વર પ્રભુની પુજા કરી બહાર ફુલવાળા બેસે છે ત્યાં પહોંચતા હ્ય્દય હુમલો ઘાતક નિવડયો હતો ત્યાં જ મોતને ભેટી ગયા હતા.
(11:37 am IST)