News of Thursday, 17th January 2019
ઉમાધામ ગાંઠીલામાં પાટીદાર રમતોત્સવ
રાજકોટ : દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨ દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા પાટીદાર સમાજના ભાઈઓ તથા બહેનો માટેના રમતોત્સવનું આયોજન ઉમાધામ ગાંઠીલા ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ ૫૦૧ બહેનો તથા ૯૭૬ ભાઈઓએ ભાગ લીધો હતો. મિની મેરેથોન, ૧૦૦ મીટર દોડ, ગોળાફેંક - ચક્રફેંક, લાંબીકૂદ-ઉંચીકૂદ, બેડમિન્ટન, ખો-ખો, સ્કેટીંગ, ચેસ અને રસ્સાખેંચ જેવી રમતો રમાડવામાં આવી હતી. આયોજન દરમિયાન જૂનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં વસતા પાટીદાર સમાજના વ્યાયામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થાના પ્રમુખ વાલજીભાઈ ફળદુ તથા અન્ય ટ્રસ્ટીઓ ઉપરાંત મંત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
(11:35 am IST)