સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

હળવદમાં જમીન ખાલી કરાવવા ચાર શખ્શોએ અપહરણ કરી લાકડીથી માર માર્યો: જાનથી મારી નાખવા ધમકી દીધી

હળવદ પંથકમાં ચાર શખ્શોએ જમીન ખાલી કરાવવા મામલે યુવાનનું અપહરણ કરીને માર મારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ઘનશ્યામપુરના રહેવાસી નારાયણભાઈ શંકરભાઈ કણઝરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ હળવદ રઘુનંદન સોસાયટી પાસે રોકી ફરિયાદીની જમીન વાડી ખાલી કરી નાખવાનું કહી આરોપી અજમલ કરમણ રબારી, તેનો ભાવી ભવાની રબારી, ધવલ અને એક અજાણ્યો ઇસમ તેને બળજબરી પૂર્વક બાઈક વચ્ચે બેસાડી માર મારવાના ઈરાદે અપહરણ કરી બલદેવ રબારી નામથી ઓળખાતી વાડીમાં લઇ જઈને લાકડી વડે માર મારી ફરિયાદીની જમીનનો કબજો મેળવવા બળજબરીપૂર્વક મોબાઈલમાં વિડીયો ઉતારી કબુલાત કરાવીહતી  લાકડી વડે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(12:54 am IST)