સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

ટંકારાના ખીજડીયા ગામે કુવામાંથી અજાણ્યા યુવકની કોહવાયેલ હાલતમાં લાશ મળતા ચકચાર

મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો

ટંકારા તાલુકાના ગામમાં એક કુવામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે

  મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં આવેલ જેન્તીભાઈ હંસરાજભાઈ દેત્રોજાની મારીહારા નામે ઓળખાતી વાડીના કુવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા ટંકારા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો

જોકે કુવામાંથી મળી આવેલ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોય જેથી હાલ યુવાનની હત્યા થઇ છે કે બનાવ આપઘાતનો છે તે સ્પષ્ટ બન્યું નથી ટંકારા પોલીસ ટીમે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો છે અને પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ અજાણ્યા યુવાનના મોતનું સાચું કારણ જાણી શકાશે તો મૃતક યુવાનની ઓળખ મેળવવા પણ પોલીસે તપાસ ચલાવી છે

(12:46 am IST)