સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

કાગવડ ખંભાલીડા રોડ ઉપર ઓવરબ્રીજ મંજુરઃ ગોવિંદ પટેલ

રાજકોટ તા.૧૬ : કાગવડ (ખોડલધામ) ખંભાલીડા રોડ પર રેલ્વે ઓવરબ્રીજ મંજુર કરવા માટે નાયબ મૂખ્યમંત્રી નીતીનભાઇ પટેલનો રાજકોટ ૭૦ના ધારાસભ્ય ગોવિંદ પટેલે આભાર વ્યકત કરેલ છે.

શ્રી પટેલે જણાવ્યું છે કે માં ખોડલએ અનેક સમાજના કુળદેવી તરીકે પુજાય છે લેઉવા પટીદાર સમાજે સંગઠન અને એકતાના પ્રતિકરૂપે કાગવડ મુકામે અદ્યતન ખોડલધામ બનાવેલ છે. ખંભાલીડા જતા ડુંગરોમાં પૌરાણીક બુદ્ધ ગુફાઓ આવેલ છે. તે જોવા પણ ખૂબજ પ્રવાસીઓ આવે છે.

રસ્તાની તેમજ પુલની સગવડતા આપવા માટે આશરે ઓગણીસ કરોડ પચીસ લાખના ખર્ચે ઓવરબ્રીજ થશે અને રસ્તો તે આગળ જતા દોરડી-લીલાખા રોડને જોડતો બનશે. તેનાથી જુનાગઢ-અમરેલી બાજુથી આવતા યાંત્રિકોને તેનો લાભ મળશે. તેમ નિવેદનમાં ગોવિંદ પટેલે જણાવેલ છે.

(4:13 pm IST)