News of Monday, 16th December 2019
નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન ઝોન ઇન્ચાર્જ
મનીષ સંઘાણી જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદના જી.ના પ્રવાસે
અમરેલી,તા.૧૬: જીલ્લા સહકારી સંઘના ચેરમેન- યુવા અગ્રણી અને તાજેતરમાં જ નહેરૂ યુવા કેન્દ્ર સગઠન વિભાગના સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ તરીકે નિયુકત થયેલા મનીષ સંઘાણી સંગઠનાત્મક કામગીરી અંતર્ગત આજરોજ જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ તથા પોરબંદર જીલ્લાઓના પ્રવાસે આવેલ છે.
સંઘાણીના પ્રવાસ વેળા તમામ જીલ્લાના નહેરૂ યુવા કેન્દ્રના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.
મનીષ સંઘાણીએ તમામ જીલ્લા કેન્દ્ર કર્મચારીઓ સાથે મીટીંગ યોજીને યોજનાઓની સમીક્ષા કરી હતી. તેમજ ભાવી યોજનાઓને જીલ્લાઓમાં વિસ્તારવા સંદર્ભે ચર્ચા -વિચારણા હાથ ધરી હોવાનું નહેરૂ યુવા કેન્દ્ર કચેરીઓની સંયુકત યાદીમાં જણાવાયેલ છે.
(1:13 pm IST)