પોરબંદરના હેરીટેજ હવા મહેલના રીનોવેશનની મંજુર ગ્રાન્ટમાંથી વહેલી તકે કામ શરૂ કરવા માંગણી
પોરબંદર, તા., ૧૬:જુના રાજમહેલ હવા મહેલ કેજેમાં આર.જી.ટી. કોલેજ કાર્યરત છે તે હેરીટેજ બિલ્ડીંગ જર્જરીત બનતી જતી હોય તેની મરામત કરવા સરકારે ૬ કરોડની ગ્રાન્ટ મંજુર કરેલ છે. જે ગ્રાન્ટમાંથી વહેલી તકે કામ શરૂ કરવા માંગણી ઉઠી છે. વર્ષના આખરે આ ગ્રાન્ટ 'લેપ્સ' થતી બચાવવા કોલેજના કર્મીઓ વર્તમાન તથા પુર્વ વિદ્યાર્થીઓ ઇચ્છી રહયા છે.
બીજી બાજુ સરકાર દ્વારા રીનોવેશન કામ માટે ટેન્ડર બહાર પડી ગયાનું જણાવે છે. પરંતુ હેરીટેજ બીલ્ડીંગમાં હજુ કોઇ કામના ઠેકાણા નથી. અગાઉ પણ સરકારે ગ્રાન્ટ મંજુર કરી હતી તે ગ્રાન્ટ રાજયપાલના આગમન સમયે વિદ્યાદાન સમારંભમાં વપરાઇ હતી. વર્તમાન સમયની ગ્રાન્ટ મંજુર થયાને ૬ માસ જેટલો સમય વીતી ગયો ત્યારે કામ શરૂ કરીને હેરીટેજ બિલ્ડીંગને ખંેઢેર થતું અટકાવવા માંગણી ઉઠી છે.