સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th December 2018

ધોરાજીના રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સોએ તાળા તોડીને ૨૧ હજારના સોના ચાંદીના ઘરેણાંની ચોરી

ધોરાજી, તા.૧પઃ ધોરાજીના ધાણીકોઢા વિસ્તારમાં રહેણાંક મકાનમા અજાણ્યયા તાડા તોડીને ૨૧ હજારના સોના ચાંદીના દાગીના ચોરી કરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અગે જાણવા મળેલી માહિતી મુજબ ધોરાજીના ધાણીકોઠા વિસ્તારમાં આવેલ જલારામ મોલની બાજુમાં રહેતા ફરીયાદી અનસુયાબેન હરેશગીરીએ ધોરાજી પોલીસમાં ફરીયાદ કરેલ કે તેના મકાનમાં કોઈ અજાણ્યા શખ્સોએ કબાટના તાળા તોડી તેમા રાખેલા સોના ચાંદીના રૂ. ૨૧ હજારના દાગીના ચોરી કરી ગયા છે. આ બનાવમાં ધોરાજી પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે. આ ઘટનામાં આજુબાજુમા આવેલ સીસીટીવી કેમેરામાં પણ પોલીસે ચેક કરી તપાસ પીએસઆઈ આર.એ. ઝાલા એ હાથ ધરી છે.(૨૩.પ)

 

(12:33 pm IST)