ધોરાજી શહેર તાલુકા કોંગ્રેસનું સ્નેહમિલન
ધોરાજી : કોંગ્રેસ સમિતિ આયોજિત કાર્યકર્તા સ્નેહમિલન સમારોહમા ગૂજરાતકોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્યો હર્ષદભાઈ રિબડીયા, બાબુભાઈ વાજા, વિમલભાઈ ચુડાસમા, લલિતભાઇ કગથરા, કોંગ્રેસ કિસાન મોરચાના પાલભાઇ આંબલીયા,ઙ્ગ શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ વોરા પૂર્વનગરપતિ ડી.એલ.ભાષા, દિનેશભાઈ ટોપીયા જગદીશભાઈ રાખોલીયાઙ્ગ જિલ્લાપંચાયત સદસ્યો, નગરસેવકો સહીત કાર્યકર્તાઓ મોટીસંખ્યામા ઉમટી પડ્યા હતા.ધારાસભ્ય લલિતભાઇએ કાર્યકર્તાઓમાં જુસ્સો વધારી અહંકારી સરકારને ચૂંટણીમાં જનતા જવાબ આપશે તેમ જણાવેલ. ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, બાબુભાઈ વાજા, અને હર્ષદભાઈ રીબડિયાએ મોંદ્યવારી અને ખેડૂતોની વ્યથા અને વેદના મામલે પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો. સમારોહના અધ્યક્ષ અને ગૂજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકારની નિષ્ફળતાઓ અને માજા મૂકતી મોંઘવારીના મુદ્દે સરકાર પર નિશાનો સાધ્યો હતો.કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયા એ રાષ્ટ્રના ખેડૂતોની હાલત અને દેશભરના કિસાનોનાં મુદે ધારદાર ભાષણ આપ્યું હતું.સમારોહમાં ઉપલેટાના ખેડુત આગેવાન ડાયાભાઇ ગજેરા અને સાથી ખેડૂતો લખમીપુર ખીરી માં કમોત પામેલા ખેડૂતોના અસ્થીકુંભ ને સભા સ્થળ પર લાવ્યા હતાં. જયાં સદગત કિસાનો ને મૌન પાળી શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી. સ્નેહમિલન સમારોહ મા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શહેર કોંગ્રેસ સમિતિનાં અરવિંદભાઈ વોરા, દિનેશભાઈ ટોપિયા, દિનેશભાઈ વોરા ચિરાગભાઈ વોરા, ગોપાલભાઈ સલાટ સહીત કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી. કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયુ તે તસ્વીર. (તસ્વીરઃ કિશોરભાઇ રાઠોડ-ધોરાજી)