News of Tuesday, 16th November 2021
દ્વારકામાં બીજી રસી લેવા ના ગયેલાને મેસેજઃ આરોગ્ય અધિકારીનું ચેકીંગ
ખંભાળીયા તા. ૧૬: દ્વારકાના વતની વેપારી અરજણભાઇ જોશીએ કોરોનાની રસીનો એક ડોઝ લીધો હતો જે પછી તબિયત ખરાબ હોય બીજો ડોઝ ના લીધો હોવા છતાં ગઇકાલે તા. ૧૪-૧૧-ર૧ના રોજ આરોગ્ય વિભાગ તરફથી તેમને બીજો ડોઝ લઇ લીધા બદલ સુચના તથા બેય ડોઝ કંપલીટ થયાનું સર્ટિફિકેટ પણ મોકલતા ભારે ચર્ચા જાગી હતી તથા આ વેપારી પણ વિચારમાં પડી ગયા હતા કે તેમણે બીજો ડોઝ કઇ રીતે લેવો?
જોકે આરોગ્ય જિલ્લા અધિકારીશ્રી ડો. રાજ સુતરીયાએ આ બાબતે ઊંડી તપાસ હાથ ધરી છે તથા આ વ્યકિતને જયારે ઇચ્છે ત્યારે બીજો ડોઝ મળી જાય તેવી વ્યવસ્થા પણ કરાવી છે. જો કે વગર ડોજે સર્ટિફિકેટ ફાળવતા આ બાબતે ચર્ચા જાગી છે. અગાઉ સર્ટિ. ડોઝ લીધા પછી મોડા મળતા હતા હવે લગાડયા પહેલા !!!
(11:32 am IST)