રાજયના અન્ન -પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળીપર્વની કરી ઉજવણી
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ બાળકોને આપી ભેટ: વડીલોને મીઠાઈ આપી ફટાકડા ફોડી દીવાળી ઉજવી
જામનગર : રાજયના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા દર વર્ષે દિવાળીની ઉજવણી દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા યથાવત રાખી દિવાળીનો પર્વ દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ઉજવ્યો છે. હકુભા જાડેજા પરિવાર સાથે જામનગરમાં આવેલા રણજીતસિંહ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા. અહીં વડીલોને મીઠાઈ આપી ફટાકડા ફોડી દીવાળી ઉજવી હતી.
અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા દર વર્ષે દિવાળીનો તહેવાર વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધો સાથે ઉજવતા હોય છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો પરિવારથી દૂર હોય છે અને તેમને તહેવાર પરની જરૂર હોય છે, ત્યારે હકુભા જાડેજાએ તમામ વૃદ્ધોને મીઠાઈ તેમજ વિવિધ ભેટો આપી દિવાળીની ઉજવણીમાં સહભાગી કર્યા હતા