સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

લાઠીના ઇંગોરાળા ગામે બીજા તબક્કામાં એકતા યાત્રા

 લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની બીજા તબક્કાની એકતા યાત્રાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે એકતા યાત્રાનુ ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ સભ્ય નારાયણભાઇ કાછડીયા ઉપસ્થિત રહ્યા હતા બાળાઓ દ્વારા કુંમકુંમ તિલક કરી આગેવાનોને આવકારીયા હતા આ તકે જીલ્લા ભાજપના પ્રમુખ હીરેનભાઇ હીરપરા પુવઁ મંત્રી વિ વિ વધાસીયા ધારાસભ્ય નાનુભાઈ વાનાણી મહામંત્રી કૌશિકભાઇ વેકરીયા કમલેશભાઈ કાનાણી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ મયુરભાઇ હીરપરા જીતુભાઈ ડેર કાનાભાઇ જોષી પ્રિતેશભાઇ નારોલા સહીત આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ ગ્રામજનો અધિકારીઓ બાળાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(1:50 pm IST)