ગોંડલમાં નદીના પટ્ટમાં આધેડનો ફાંસોખાઇ આપઘાત
મીલમાં મશીનના પટ્ટામાં આવી જતા પરપ્રાંતીય આઘેડનું મોત
ગોંડલ, તા. ૧૬ : ગોંડલી નદીના પટમાં રહેતા આધેડે પોતાના દ્યરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
ગોંડલ સરકારી દવાખાના સામે આવેલ અને ગોંડલી નદીના પટમાં રહેતા હકાભાઇ છગનભાઈ કુંભાજર ઉમર વર્ષ ૫૫ નામના આધેડ કોઈ અગમ્ય કારણોસર પોતાના દ્યરે ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના મૃતદેહને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો દ્યટના અંગેની તપાસ સીટી પોલીસના જમાદાર ઈન્દુભા જાડેજાએ હાથ ધરી હતી સંતાનમાં બે દીકરીઓ હોય જે સાસરે હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં ગોંડલના ગુંદાળા રોડ ઉપર આવેલ ખેડૂત સોલવેકસ લી મિલના કારખાનામાં ત્રણ દિવસ પહેલાં જ કામે લાગે આંધ્ર પ્રદેશના નાગેશ્વર નામના ૫૫ વર્ષના આધેડનું મશીનના પટ્ટામાં આવી જવાથી મોત નિપજતા તેના મૃતદેહને ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો મૃતકની ઓળખ મેળવવા હોસ્પિટલના બીટના જમાદાર રાજેન્દ્રસિંહ ઝાલા એ તપાસ હાથ ધરી હતી.