સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

જુનાગઢમાં શ્રી હાટકેશ્વર મહિલા મંડળ દ્વારા રવિવારે 'ઠાકોરજી'ના લગ્ન

સોમવારે કેશોદમાં તુલસીજી સાથે વિવાહ પ્રસંગ

જુનાગઢ તા. ૧૬ :.. જુનાગઢમાં શ્રી હાટકેશ્વર મહિલા મંડળ દ્વારા તા. ૧૮ ને રવિવારે ઠાકોરજીનાં શુભ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે.

શ્રી હાટકેશ્વર મહાદેવની કૃપાથી શ્રી હાટકેશ્વર મહિલા મંડળ દ્વારા ઠાકોરજીના શુભ લગ્નનું કારતક સુદ અગીયારસ - દેવદિવાળીના રોજ કરવામાં આવ્યું છે.

તા. ૧૮ ને રવિવારે સાંજે ૪ થી ૬ મંડપ તથા સાંજીના ગીતનું કડીયા જ્ઞાતીની વાડી, કડીયાવાડ, શ્રી હાટકેશ્વર મહિલા મંડળ દ્વારા આયોજન કરાયુ છે.

જાન પ્રસ્થાન તા. ૧૯ ને બપોરે ૩ વાગ્યે પ્રસ્થાન થશે. અને કેશોદના તુલસીજીના શુભલગ્ન કડીયા જ્ઞાતીના પ્રસિધ્ધ રસોયા નટુભાઇ રામજીભાઇને ત્થા પટેલ મીલ રોડ, આંબાવાડી, રોયલ પાર્ક, કેશોદ ખાતે શુભ લગ્ન નિરધારેલ છે.

સફળ બનાવવા શ્રી હાટકેશ્વર મહિલા મંડળના પ્રમુખ નિર્મળાબેન ટાંક, કડીયા જ્ઞાતીના પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ, દિનેશભાઇ કાચા, કિશોરભાઇ તથા મિત્ર મંડળ અને શ્રી હાટકેશ્વર મહિલા મંડળ -શ્યામ મહિલા મંડળના આગેવાનો - કાર્યકરો જહેમત ઉઠાવે છે.

(12:29 pm IST)