સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

ભાણવડ તાલુકા આહીર સમાજના વિદ્યાર્થીઓનો સન્માન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભાણવડ, તા., ૧૬: ભાણવડ તાલુકા આહીર સમાજ આયોજીત સમાજનું સ્નેહમિલન, તેજસ્વી વિદ્યાર્થીઓનું તેમજ હોદેદારોનું સન્માન સમારંભ આહીર સમાજનાં પ્રમુખ સાજણભાઇ રાવલીયાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ અતિથી વિશેષ મુળુભાઇ બેરા, ડો.સાજણભાઇ વારોતરીયા, ભીખુભાઇ ગોજીયા, હમીરભાઇ કનારા, જગદીશભાઇ ગોજીયા, નારણભાઇ રાવલીયા, કાળુભાઇ નંદાણીયા, હમીરભાઇ છુછર, વજસીભાઇ નંદાણીયા, લખમણભાઇ રાવલીયા, બળદેવભાઇ વારોતરીયા, જીતુભાઇ માડમ, કરશન પીઠીયા, રામુભાઇ ગોજીયા, દિલીપભાઇ ચાવડા, અર્જુનભાઇ આંબલીયા, રાહુલભાઇ કરમુર, પાલભાઇ કરમુર, દેવશીભાઇ કરમુર, કરશનભાઇ ભેડા, ખીમભાઇ રાવલીયા, ગોવિંદભાઇ કનારા, કરશનભાઇ કરંગીયા, પરબતભાઇ કરમુર, ભરતભાઇ વારોતરીયા, મુકેશભાઇ કરમુર, અરજણભાઇ ગાંગલીયા, રાજુભાઇ ગોધમ, જેન્તીભાઇ ગોધમ, સંજયભાઇ વિંઝવા, જે.ડી.ડાંગર, આહીર કર્મચારી મંડળ, આહીર વેપારી મંડળ, આહીર સોશ્યલ ગૃપ, આહીર એકતા ગ્રુપ સહીત વિવિધ ગામનાં સરપંચો સમાજનાં આગેવાનો અને વિદ્યાર્થી ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

આ તકે આહીર રેજીમેન્ટની માંગ અંગે રામુભાઇ ગોજીયાએ આગામી તા.૧૮ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર આંદોલન અંગે જણાવેલ અને આહીર સમાજનાં લોકોને આ તકે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાંકલ કરેલ. કાર્યક્રમને અંતે આભારવિધિ બળદેવભાઇ વારોતરીયા દ્વારા કરવામાં આવેલ.

(12:17 pm IST)