સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

વાંકાનેર શ્રી ફળેશ્વર મંદિરમાં શ્રી જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી

વાંકાનેર તા. ૧પ : જડેશ્વર રોડ ઉપર વર્ષો પુરાણી ઐતીહાસીક શ્રી મુનીબાવા જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે શ્રી જલારામ મંદિરમાં શ્રી જલારામ જયંતીના પાવન પર્વે સવારના ૬ થી ૯ સુંદરકાંડના પાઠ તેમજ પુજય જલારામબાપાનું ગુરૂપુજન વાંકાનેરના સમીર ટ્રેડર્સવાળા લાખાણી પરીવારના શ્રી બાબભાઇ લાખાણી તેમજ શ્રી ફળેશ્વર મંદિરના શ્રી પટેલબાપુએ શ્રદ્ધાંપૂર્વક કરેલ હતું. તેમજ પુ.બાપાની ચાખડીની પુજા તેમજ મહાઆરતી થઇ હતી. પુજા વિધિ આચાર્ય શાસ્ત્રીજી મેહુલભાઇ મહારાજે કરાવી હતી.

આ પ્રસંગે શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમીતીના સૌ સેવકો -ભકતજનો હાજર રહ્યા હતા તેમજ સાંજના પૂ. જલારામબાપાની મહા આરતી તેમજ બટુક ભોજન તથા ભકતજનો પૂ.બાપાનો પ્રસાદ લીધેલ હતો પુ.જલારામબાપાનું પુજન કરતા શ્રી બાબભાઇ લાખાણી તેમજ શ્રી પટેલબાપુ નજરે પડે  છે.

(12:11 pm IST)