સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

દ્વારકાધીશ જગત મંદિરે તુલસી વિવાહ

દ્વારકા, તા. ૧૬ : દ્વારકાધીશ જગતમંદિરે કારતક માસની અગિયારસ તા.૧૯ને સોમવારના રોજ ઠાકોરજીને તુલસી વિવાહનો ઉત્સવ હોવાથી મંદિરના કાળાપટના (ભંડારવાળા) પરિસરમાં ઉત્સવ ઉજવવામાં આવશે.

ધાર્મિક વિધિ - વિધાન અનુસાર ભગવાનના બાલસ્વરૂપ સાથે તુલસીજીના પારંપરીક વિધિ વિધાન સાથે તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી થનાર હોય બહોળી સંખ્યામાં ભાવિકો તેનો લાભ લે તે માટે જગત મંદિરના પૂજારી ડાયાલાલ હરિદાસ ઠાકરની યાદીમાં જણાવાયું છે.

(11:08 am IST)