જસદણ તાલુકા પંચાયતના ટીડીઓની કામગીરીથી સંતુષ્ટ થતા ગ્રામજનો
જસદણ તા. ૧૬: જસદણના નવાગામમાં વર્ષોથી યથાવત પડેલા પ્રશ્નોનો ઉકેલ તાલુકા પંચાયતના મુખ્ય અધિકારી ટીડીઓ શ્રી બેલીમ ઉકેલ લાવતા ગ્રામ્યજનોમાં ભારે ખુશાલી છવાઇ છે.
સામાન્ય રીતે મોટેભાગે અધિકારીઓ ગામડાઓમા જતાં નથી ટેબલ પર બેસી ઓર્ડર કરે છે. પણ આંબરડી ગામ નજીક આવેી નવાગામમા આઝાદી પછી કેટલાય રોડ રસ્તા, પાણી, ભુર્ગભ ગટરના પ્રશ્નોનો ઉકેલ આવતો નહોતો તેવી લેખિત રજુઆત યુવા સામાજિક કાર્યકર રણછોડભાઇ પરમારએ કરેલ હતી. આ રજુઆતને ધ્યાને લઇ જસદણ તાલુકા વિકાસ અધિકારી શ્રી બેલીમ તાત્કાલિક નવાગામ સ્થળ પર ગયા અને ગ્રામ પંચાયતની બોડીને સાથે રાખી આ કામ ર૦ દિવસમા પાર પાડવાની સુચના આપી હતી. રણછોડભાઇ રબારીએ જાવ્યુ કે નવાગામમાં અમે પ્રથમ વખત જ એક અધિકારીને આવતા જોયા અત્યાર સુધી અમો રજુઆત કરી કરીને થાકીગયા પણ અમોને જવાબ પણ મળેલ નથી ત્યારે બેલીમ સાહેબ પ્રત્યે ગર્વ છે.