ભાવનગર-જીલ્લામાં ડેન્ગ્યુનો હાહાકારઃ કુલ ૯૪ કેસ
સર ટી. હોસ્પિટલનાં તબીબો અને આરોગ્ય વિભાગના ૧૮ કર્મચારીઓ પણ ઝપટે
ભાવનગર તા. ૧૬ :.. ભાવનગરમાં પણ ડેન્ગ્યુએ હાહાકાર સર્જયો છે. શહેરમાં ચાલુ માસમાં ડેન્ગ્યુનાં ૧૬ અને જીલ્લામાં ર૭ કેસ નોંધાયો છે. અને આ વર્ષનાં કુલ ૯૪ કેસ થયા છે. સરટી હોસ્પીટલનાં તબીબો અને આરોગ્ય સ્ટાફ પણ ડેન્ગ્યુની ઝપટે ચડી ગયો છે.
સમગ્ર સૌરાષ્ટ્રની સાથે ભાવનગરમાં પણ ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે. જો કે અન્ય શહેરોની કરતાં ભાવનગરમાં ડેન્ગ્યુનાં દર્દીઓ ઓછા છે પરંતુ તેની સંખ્યા વધતી જાય છે.
સુત્રોનાં જણાવ્યા મુજબ ચાલુ માસે ભાવનગર જીલ્લામાં ર૭ કેસ ડેન્ગ્યુનાં નોંધાયા છે જેમાં ભાવનગર શહેરનાં ર૭ કેસ છે.
ચાલુ વર્ષમાં કુલ ડેન્ગ્યુનાં ૯૪ કેસ નોંધાયા છે. ઉપરાંત ભાવનગરની સરટી હોસ્પિટલનાં તબીબો અને આરોગ્ય સ્ટાફનાં ૧૮ લોકો પણ ડેન્ગ્યુની ઝપટે ચડી ગયા છે. તંત્ર દ્વારા આ રોગચાળાને ડામવા તમામ પગલા ભરાઇ રહ્યા છે.