સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળવર્ષા સાથે ઠંડીનો ચમકારો
જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ આખો'દિ હુંફાળુ હવામાન
રાજકોટ તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલ્ટા સાથે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો અને આવા વાતાવરણ સાથે સવારે ઝાકળવર્ષા છવાઇ હતી ચોમાસાએ વિદાય લીધા બાદ છેલ્લા થોડા દિવસોથી દિવસ અને રાત્રીના અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.
ત્યારે આજે સવારે શિયાળાનું આગમન થઇ હોય તેમ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો અને ભેજનું પ્રમાણ વધતા ઝાકળવર્ષા છવાઇ ગઇ હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારના સમયે ઝાકળવર્ષા થતા તેની બુદ વૃક્ષો અને વાહનો ઉપર જોવા મળ્યા હતા. અને રસ્તા ઉપર વાહન વ્યવહારને અસર પડી હતી.
કયા કેટલા ટકા ભેજ
શહેર ભેજનુ પ્રમાણ
અમદાવાદ ૬૩ ટકા
ડીસા પર ટકા
વડોદરા ૧૦૦ ટકા
સુરત ૭૦ ટકા
રાજકોટ ૯૧ ટકા
ભાવનગર ૪૪ ટકા
પોરબંદર ૮૭ ટકા
વેરાવળ ૮પ ટકા
દ્વારકા ૮૪ ટકા
ઓખા ૮૪ ટકા
ભુજ ૯૩ ટકા
નલીયા ૭૮ ટકા
સુરેન્દ્રનગર ૭ર ટકા
ન્યુ કંડલા ૯૩ ટકા
કંડલા એરપોર્ટ ૯૮ ટકા
ગાંધીનગર ૭૯ ટકા
દિવ ૬૯ ટકા
વલસાડ ૭૬ ટકા
વલ્લભ વિદ્યનગર ૧૦૦ ટકા