News of Tuesday, 16th October 2018
ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા પ્રાચીન ગરબીની ૧ર૦૦ બાળાઓને ભોજન
ઉપલેટા તા. ૧૬ :.. જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજરોજ સુરજવાડી ખાતે સ્વ. ભુપતરાય મણીલાલ શેઠ, વસંતરાય મણીલાલ શેઠના પરિવાર દ્વારા પ્રાચીન ગરબી રમતી ૧ર૦૦ બાળાઓને નવરાત્રીમાં મહાપ્રસાદ રૂપે જમાડવામાં આવેલ તેમજ તેમની સાથે ગરબી મંડળના આયોજકો, વિગેરેને જમાડવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે તા. પં. પૂર્વ પ્રમુખ લાખાભાઇ ડાંગર, ભાવેશભાઇ સુવા, જૈન સમાજના વિજયભાઇ શેઠ ઉપસ્થિત રહ્યા હતાં.
સફળ બનાવવા જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ અશોકભાઇ શેઠ, નિરવભાઇ શાહ, ધવલભાઇ શાહ તથા કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (પ-૧૦)
(3:39 pm IST)