સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

સરકારના આદેશને ન માનનાર તળાજાની ખાનગી સ્કુલોમાં નવરાત્રી વેકેશનને લઇ તપાસ

તળાજા, તા., ૧૬: તળાજાની ખાનગી સ્કુલોના સંચાલકો અને ખાસ કરીને સ્કુલના શિક્ષકોમાં ચકચાર મચાવતી વાતને લઇ મળતી વિગતોમાં શહેરમાં, શહેરની આસપાસ, ગ્રામ્ય પંથકમાં ચાલતી ખાનગી સ્કુલો દ્વારા નવરાત્રી વેકેશન ન પાડીને સ્કુલોમાં નિત્યક્રમ મુજબ વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસક્રમ શરૂ રાખવામાં આવેલ હતો. જેને લઇ ખાસ તો વેકેશન ઇચ્છતા સ્કુલના શિક્ષકોમાં જ કચવાટ સાથે કલબલાટ ઉભો થયો હતો.

જેના પગલે શિક્ષણ વિભાગને જાણ થતા જ અમુક ખાનગી સ્કુલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના આરએમડી સ્કુલને નોટીસ આપી હોવાનું ટીપીઓ મહેન્દ્રભાઇ પટેલએ જણાવ્યું હતું. સતત બે-ત્રણ દિવસથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.(૪.૨)

(11:53 am IST)