સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

ભાવનગર જેલમાં ખુન કેસના કેદી નંદકુકુમાર ચોૈહાણનો લુંગીથી ગળાફાંસો ખાઇને આપઘાત

 

 ભાવનગર તા.૧૬: ભાવનગર જિલ્લા જેલમાં ખુન કેસમાં કાચા કામનાં કેદી એ વહેલી સવારે જેલમાં લુંગી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લા જેલમાં હત્યા કેસનાં ગુન્હામાં કાચા કામનાં કેદી તરીકે સજા ભોગવી રહેલ ભાવનગર વરતેજ જીઆઇડીસીમાં રહેતો નંદકુકુમાર દુઃખહરણ ચોૈહાણ ઉર્ફે મુખીયા ઉ.વ.૩૫ એ આજે વહેલી સવારે જિલ્લા જેલનાં બાથરૂમમાં લુંગી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. બનાવની જાણ થતાં જ જિલ્લા જેલર ચોૈધરી સાથેનો સ્ટાફ તથા એ ડિવીઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જેલમાં હત્યા કેસનાં આરોપી એ આત્મહત્યા વહોરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

(11:48 am IST)