પોરબંદર દરિયાકાંઠે ગણેશ વિસર્જન વખતે તણાય ગયેલ કિશોરની બીજે દિ' લાશ મળી
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૬ : દરિયાકાંઠે ગણેશ વિસર્જન કરવા ગયેલ અને જુમ્મા મસ્જિદ પાસે રહેતા ૧૮ વર્ષનો જીત નરેશભાઇ લોઢારી દરિયાના પાણી તણાય જતાં તેની બીજે દિવસે ગોસાબારા કાંઠે લાશ મળી આવી હતી.
મરનાર જીતની લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલ લઇ જવાયેલ છે. જીત શહેરની બારોબાર એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો અને તેમના ઘેર પ્રથમ વખત ગણેશ મુર્તિ સ્થાપન કર્યુ હોય વિસર્જન માટે અસ્માવતી ઘાટ કાંઠે મિત્રો લઇને ગયેલ હતો. દરિયાના ભારે પ્રવાહમાં તેની સાથે રહેલા અન્ય ૪ મિત્રો બચી ગયેલ છે. ઉલ્લેખનીય છે કે પ્રાચીન અસ્માવતી ઘાટ ૧૯૮૩ના ફલડ સમયે તુટી ગયેલ હતો. ત્યાર પછી અસ્માવતી ઘાટ બનાવવામાં તંત્ર ધ્યાન આપતુ નથી.જેના કારણે બચાવ કાર્યમાં પણ મુશ્કેલી થાય છે.