સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

જવાહર ચાવડાને મંત્રીપદેથી હટાવશે તો વિરોધની ચીમકી : આહીર સમાજના આગેવાનો કરી શકે છે આવતીકાલે બેઠક

જો મંત્રી મંડળમાં સ્થાન નહીં તો ઓલ ગુજરાત આહીર સમાજ કરશે વિરોધ: સોશિયલ મીડિયામાં વાઇરલ થયા મેસેજ

ગીર સોમનાથ: રાજ્યના નવા મુખ્યમંત્રીની શપથ બાદ નવા મંત્રીમંડળની રચના માટે જબરી કશ્મકશ સર્જાઈ છે સિનિયર મંત્રીઓ અને કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓને મંત્રીપદેથી હટાવવા મામલે વિરોધના સુર ઉઠયા છે ત્યારે જવાહર ચાવડાને મંત્રી પદેથી હટાવવામાં આવશે તો વિરોધની ચીમકી આપી છે

આહીર સમાજના ગ્રુપ દ્વારા  જવાહર ચાવડા મામલે વિરોધના સુર  ઉઠયા છે આ મામલે  આહીર સમાજના આગેવાનો આવતીકાલે બેઠક કરી શકે છે
જવાહર ચાવડા મામલે સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજ  થયા છે  જો મંત્રી મંડળમાં સ્થાન નહીં તો ઓલ ગુજરાત આહીર સમાજ  વિરોધ કરશે

 

(12:34 am IST)