સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

માળીયા હાટીનાના વડાળા ગામે 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવા નોટિસ અપાતા રોષ

આગેવાનો વડાળા ગામે એકઠા થઈને જમીન ઉપર માંડવાઓ નાંખીને વિરોધ કર્યો

જુનાગઢના માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે હાલમાં 109 જેટલા અનુસુચીત જાતિના લોકો સરકારી જમીન ઉપર પોતાના ભરણ પોષણ માટે ખેતી કરીને પોતાનું પેટીયું રળતા હતા. પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આ જમીન તારીખ 16 સપ્ટેમ્બર સુધીમાં ખાલી કરી આપવાની નોટીશો પાઠવતાં 109 આસામીઓ શું કરશે અને કયાં જાશે તેવા અનેક સવાલો થયા હતા. ત્યારે જમીન ખાલી કરવવાના સમયમાં સૌરાષ્ટ્રભરમાંથી તમામ અનુસુચીત જાતિના આગેવાનો વડાળા ગામે એકઠા થયા હતા. આ જમીન ઉપર માંડવાઓ નાંખીને વિરોધ કરતાં આખરે ત્યાં આ જમીન ખાલી કરાવવાનો પ્રોગ્રામ મોકુફ રખાયો હતો

(10:02 pm IST)