સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાત લેતા શંકરસિંહ વાઘેલા

જુનાગઢ તા ૧૬ : તાજેતરમાં ભવનાથ તળેટી સ્થિત રૂપાયતન રોડ ઉપર આવેલ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની રાજયના પુર્વ મંત્રી અને એનસીપીના પ્રદેશ પ્રમુખ શંકરસિંહજી વાઘેલાએ મુલાકાત લીધી હતી. દરમ્યાન આશ્રમના મહંત પુ. ઇન્દ્રભારતીબાપુએ શંકરસિંહ વાઘેલાને આવકાર્યા હતા અને પુ. બાપુ દ્વારા થતી સેવાકીય પ્રવૃતિથી શંકરસિંહ વાઘેલા પ્રભાવિત થયા હતા અને વર્તમાન સ્થિતીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

(4:13 pm IST)