મોરબીમાં નવલખી રોડ ઉપર વાહન અકસ્માત મુકેશભાઇ મારવાડીનું મોત
મોરબી પાસે નદીમાં ડુબીને જતા ત્રાજપર ખારીના અમીત કોળીનું મોત
મોરબી,તા.૧૬: મોરબીના નવલખી પર વાહન અકસ્માતમાં આધેડનું મોત નીપજ્યું હતું.
મોરબીના નવલખી રોડ પર આજે સવારના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં નવલખી ફાટક પાસે ઝુપડામાં રહેતા મુકેશભાઈ અમરશીભાઈ મારવાડી (૪૫) નું અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરીને મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે જો કે અકસ્માત કયા કારણોસર થયો અને કયાં વાહનનો અકસ્માત થયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી
અન્ય એક બનાવમાં મોરબીના ત્રાજપર ખારીમાં રહેતો અમિત ધનજીભાઈ દુદકીયા કોળી નામનો યુવાન મોરબીની કાલીન્દ્રી નદીમાં નાહવા ગયો હતો ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. પોલીસને બનાવની જાણ થતાં જ પોલીસ તુરંત જ દ્યટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે બનાવની નોંધ લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.