સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

ઉના : ઝુલુસમાં ફાયરીંગ પ્રકરણમાં ઝડપાયેલા ૮ આરોપીઓને ર દિવસની રીમાન્ડ

 ઉના, તા. ૧૬ : તાજીયાના ઝુલુસમાં થયેલ મારામારી તથા ફાયરીંગના ગુનામાં પોલીસે ૮ આરોપીઅને પકડી સઘન તપાસ શરૂ કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરવા તા. ૧૭ સુધી ર દિવસની રિમાાન્ડ મંજૂર થઇ છે.

શહેરમાં ગત તા. ૧૦ના રાત્રીના સમયે લુહાર ચોકમાં તાજીયાના ઝુલુસમાં ફાયરીંગ તા મારામારી થયેલ જેમાં પાંચ લોકો ઘવાયા હતાં અને પોલીસમાં ઇજા પામનાર સોહીલ કાસમભાઇ જોખીયા રે. ઉનાવાળાએ ૧૩ આરોપીઓ સામે તમંચો કે રિવોલ્વર જેવા હથીયારથી ફાયરીંગ કરી જીવલેણ ઇજા કરતા પાંચ લોકો ઇજાગ્રસ્ત થયેલ હતા. રાજકોટ સારવાર હેઠળ છે. ઉના પોલીસે આઇપીસી ૩૦૭ તથા રાયોટીંગ આર્મ્સ એકટનો ગુનાની કલમ લગાડી જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રીપાઠીની સુચનાથી એ.એસ.પી. અમીતભાઇ વસાવા તથા જીલ્લા એલસીબી પોલીસ સઘન તપાસ કરતા ગુના નં.૧૩ આરોપીઓ પૈકી ૮ આરોપી (૧) રીયાઝ રફીકભાઇ કાસમાણી (નગર સેવક-ઉના) (ર) એજાજ રફીકભાઇ કાસમાણી (૩) યાકિબ ઉર્ફે તાલ બાવેશા બાપુ બાનવા (૪) નઇમ ઉર્ફે બાંડીયો ઉર્ફે પીંડારી રફીક કાદરી (પ) મોઇનુદિન ઉર્ફે મોઇન મનસુરાભાઇ મન્સુરી (૬) ઇસમાઇલ ઉર્ફે સટતો મુસાભાઇ મેમણ (૭) જીસાન ઉર્ફે અબીડો મુખ્તારભાઇ બ્લોચ (નવાઝ રફીકભાઇ કાસમાણી ઉના વાળાની ધરપકડ કરી ઉના પોલીસને સોંપેલ હતાં. પોલીસે ધોરણસર ધરપકડ કરી, આગળ પૂછપરછ કરી રહ્યા છે. હુમલામાં વપરાયેલ હથીયાર તથા અન્ય આરોપીઓ કયાં છે તેની માહિતી મેળવવા ઉના કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતા ર દિવસની રીમાન્ડ મંજુર થઇ છે. આમ જીલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ ૪ દિવસમાં આરોપીને પકડી પાડવા સફળતા મેળવી છે. હુમલાનું સાચુ કારણ પણ શું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે.

(12:08 pm IST)