સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

ઉનામાં ૩પથી વધુ માંઇભકતો પદયાત્રા દ્વારા આશાપુરા માતાના મઢે જવા રવાના

ઉના, તા. ૧૬ : સતત  ૧પમાં માં શકિત ગ્રુપ દ્વારા પદયાત્રા સંઘ કચ્છ આશાપુરામાંના ગઢે જવા રવાના થતા શુભેચ્છા આપી હતી.

શાક માર્કેટમાં શાકભાજી વેચવાની તથા રેકડી ચલાવી મજુરી કામ કરતા ૩પથી વધુ માતાજીના ભકતો જેમાં ૧પ વરસથી લઇ ૬પ વરસ સુધીના ભાઇઓ ૧પમી વખત ઉનાથી ૭પ૦ કિલોમીટર દૂર માં આશાપુરા માતાજીના મઢ કચ્છ જવા રવાના થતાં ઉનાના યુવા કોળી સંગઠન અને માંધાતા ગ્રુપના આગેવાન શ્રી અલ્પેશભાઇ બાંભણીયા, વિનોદભાઇ બાંભણીય(ઉના) રાજુભાઇ ડાભી, જયેશભાઇ મજેઠીયા તથા દાતાઓના સાથ સહકારથી પ્રસ્થાન કર્યું હતું. આ માં શકિત ગ્રુપ પદયાત્રા સંઘ ૧૪ દિવસમાં ૭પ૦ કિલોમીટર અંતર કાપી પરથમ આસો માસના નોરતે કચ્છમાં આવેલ માં આશાપુરા મઢે પહોંચી માતાજીના ચરણમાં શિશ ઝૂકાવી વિશ્વ શાંતિ એકતા ભાઇચારા માટે પ્રાર્થના કરશે.

(12:04 pm IST)