સુરેન્દ્રનગર જીલ્લામાં આઇ.કે. જાડેજાની આગેવાની તિરંગા યાત્રાનું પરિભ્રમણ
વઢવાણઃ ૭૫ માં સ્વતંત્રતા દિવસ પૂર્વે ઉજવાઈ રહેલ આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં મહાઉત્સવ બન્યો છે.પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ની આગેવાનીમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં તમામ તાલુકાઓ ને ઘમરોળતી તિરંગા યાત્રા એના ત્રીજા દિવસે વહેલી સવારે મુળી થી સાયલા-ચુડા- લીમડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા નિર્ધારિત રૂટ ઉપર નીકળી હતી. મુળી સ્વામિનારાયણ મંદિર નાં સંતો નાં આશીર્વાદ સાથે માંડવરાયજી દાદા નાં દર્શન કરી સીદસર, સાયલા, ફુલગ્રામ, વસ્તડી સુધીમાં યાત્રા એ તિરંગા મય વાતાવરણ બનાવ્યું હતું. ૫૦૦ બાઈક અને ૧૦૦ જેટલી ગાડીઓના કાફલા સાથે ગામડે ગામડે રાષ્ટ્ર્ર પ્રેમી યુવાનો અને પાર્ટી કાર્યકરો યાત્રા માં જોડાતા રેલી સુંદર રાષ્ટ્ર ભક્તિ થી રંગાયેલી નજરે પડતી હતી. રાષ્ટ્ર્ર ની વંદના કરવાનો મોકો ઘર આંગણે જિલ્લાના તમામ તાલુકાઓ નાં નામી લોકો ઘર સુધી આપતાં હોય અને બાઈક રેલી સ્વરૂપે પસાર થવાના હોય તયારે જગ્યાએ જગ્યાએ સંતો, મહંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો દ્વારા યાત્રા ને તિરંગો આપી ને ફૂલો થી વધાવવામાં આવી રહી છે. જિલ્લા આખા નાં નામી આગેવાનો બાઈક રેલીમાં પોતાની સાથે બાઈક સવારી કરતાં જિલ્લા ભાજપ અને ધ્રાંગધ્રા ભાજપ નાં કાર્યકરો ભારે જોશ માં જોવા મળ્યા હતા.