સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th August 2022

શુક્રવારે જામકંડોરણામાં જન્‍માષ્‍ટમીની ભવ્‍ય રથયાત્રાઃ જયેશ રાદડીયાના હસ્‍તે પ્રસ્‍થાન

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૧૬ :.. શ્રી વિઠલભાઇ હંસરાજભાઇ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા શ્રી વ્રજ વલ્લભ સોશ્‍યલ ગ્રુપ દ્વારા તા. ૧૯ ને શુક્રવારે જન્‍માષ્‍ટમીના દિવસે ભવ્‍ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

આ રથયાત્રા જન્‍માષ્‍ટમીના દિવસે સવારે ૮ કલાકે શ્રી રામજી મંદિરથી શરૂ થઇ પટેલ ચોક, ભાદરા નાકા, ગોંડલ રોડ, બસ સ્‍ટેશન, બાલાજી ચોક, પટેલ ચોક થઇ નગરનાકાએ પુર્ણ થશે આ રથયાત્રાનું વિઠલભાઇ હંસરાજભાઇ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્‍ટ તેમજ શ્રી વ્રજ વલ્લભ સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ જયેશભાઇ રાદડીયાના હસ્‍તે પ્રસ્‍થાન કરવામાં આવશે.

આ રથયાત્રામાં પ૦ જેટલા વાહનોમાં વિવિધ યુવક મંડળો દ્વારા આકર્ષક ફલોટ રજૂ કરવામાં આવશે આ રથયાત્રામાં અનેક રાજકીય, સામાજીક આગેવાનો જોડાશે. જામકંડોરણા તાલુકાની ધર્મપ્રેમી જનતાને આ રથયાત્રામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(11:59 am IST)