સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th August 2022

વાંકાનેરમાં રાષ્‍ટ્રીય પર્વ વ્‍હોરા સમાજ દ્વારા મંત્રીનું સન્‍માન

વાંકાનેરઃ ૧૫ ઓગષ્‍ટ રાષ્‍ટ્રીય પર્વ નિમિતે રાજ્‍ય કક્ષાના મંત્રી (પશુપાલન અને ગૌસંવર્ધન)નું વાંકાનેરના દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા સન્‍માન કરાયુ હતી. આ પ્રસંગે દાઉદી વ્‍હોરા સમાજના અગ્રણીઓ, હુશેનીભાઇ હાથી, એસ.એસ.હાથી, સલમાનભાઇ મલકાણી સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મહારાજા કેશરીદેવસિંહ, જીલ્લા ભાજપના પ્રમુખ તથા માજી સાંસદ દેવજીભાઇ ફતેપરા વગેરેએ હાજર રહી પ્રસંગની અભિવૃધ્‍ધિ કરી હતી. (તસ્‍વીર-એહેવાલ : મહમદ રાઠોડ-વાંકાનેર)

(11:33 am IST)