સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th August 2018

જુનાગઢમાં ર યુવકો સિરાજ અને કિશનની હત્‍યામાં ઝપડાયેલા શખ્‍સો રિમાન્‍ડ ઉપરઃ અન્‍યની શોધખોળ

જુનાગઢ તા. ૧૬ : જૂનાગઢના બે યુવાનોની હત્‍યા માં  પોલીસે ત્રણ શખ્‍સોને તા. ૧૮  સુધીના રીમાન્‍ડ પર મેળવીને અન્‍ય શખ્‍સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢના ગોધાવાવ પાટીમાં રહેતા વાલ્‍મીકી  રોહીત રમેશભાઇ વાઘેલા, સીરાજ ઉર્ફે ઉદરડી રફીક નાગોરી અને કિશન ઉર્ફે બીટુ રમેશભાઇ પર અપહરણ કરવામાં આવેલા જેમાં રોહીત વાઘેલા છટકીને રાજકોટ ખાતે પહોચી હોસ્‍પિટલમાં દાખલ જ્‍યારે  તેની સાથેના  અન્‍ય બે યુવાનો  ગૂમ  થયાની ફરિયાદ થઇ હતી.

  આ અંગે પોલીસ મહાનિરીક્ષક એસ.જી ત્રિવેદી એસ. પી. સૌરભસિંઘની સુચનાથી ડીવાયએસપી એમ.એસ. રાણા તથા ક્રાઇમ બ્રાંચ  પી.આઇ. આર. કે ગોહિલે  તેમજ ટીમે તપાસ હાથ ધરી છે.

જે દરમિયાન રાકેશ ઉર્ફે મુન્ના બલુ બોરીયા - કોળી , શૈલેષ ઉર્ફે ટાટમ જમનાદાસ  ટાટમીયા - વાણંદ  અને સંજય ઉર્ફે બગી રામ ભાદરકા કોળીની ધરપકડ કરી હતી.

આ ત્રિપુટીએ  સિરાજ અને કિશનની હત્‍યા  કરીને બન્નેની લાશ ભવનાથ વિસ્‍તારમાં ફેંકી દીધી હોવાની કબુલાત આપી હતી.

 

 

(4:44 pm IST)