સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th August 2018

ખેડુતોના વિવિધ પ્રશ્ને વડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન

વડીયા તા.૧૬ : તાલુકાના કોંગ્રેસે સમિતિ દ્વારા ખેડુતોને પજવતા પ્રશ્નો જેવા કે પાક વિમો, ભુંડ, રોજનો ત્રાસ પી.જી.વી.સી.એલ. દ્વારા કનડગત અને મગફળી કાંડ જેવા પ્રશ્ને તાલુકાના ૩૦૦ થી વધુ ખેડુતોએ વડીયામાં રેલી મામલતદારને આવેદન પત્ર આપ્‍યું હતું.

પુરતા ભાવન મળવા અનેવિજળીની અનિયમિતતા અને પી.જી.વી.સી.એલ.ની હેરાનગતી વિષે તેમજ દિવસ અને રાતની વિજળીની વ્‍યાખ્‍યા વિષે રોષ ઠાલવ્‍યો હતો.

આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઇ પાનસુરીયા, જીલ્લા આરોગ્‍ય સમિતિના પૂર્વ ચેરમેન ધર્મેન્‍દ્ર પાનસુરીયા તેમજ રવજીભાઇ પાઘડાળ, જેન્‍તીભાઇ વેકરીયા, અરવિંદભાઇ દોંગા, નાગજીભાઇ વેકરીયા, કલ્‍યાણભાઇ દેશાઇ, બીચ્‍છુભઇ બસીયા, શામજીભાઇ ચુડાસમા તેમજ અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:13 pm IST)