સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ ટ્રસ્ટના પ્રમુખપદે જયેશભાઇ રાદડીયાની વરણી
ધોરાજી તા. ૧૪ :.. દ્વારકા ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ ટ્રસ્ટ રાજકોટનાં ટ્રસ્ટી મંડળની દ્વારકા લેઉઆ પટેલ સમાજ ભવન ખાતે મળેલ મીટીંગમાં ટ્રસ્ટના પ્રમુખ તરીકે યુવા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની વરણી કરવામાં આવી લેઉઆ પટેલ સમાજના વકીલ અને પયદર્શક વિઠ્ઠલભાઇ રાદડીયાના વડપણ હેઠળ આ ટ્રસ્ટ દ્વારા તીર્થ સ્થાન એવા શ્રીનાથ દ્વારા તેમજ દ્વારકા ખાતે ભવ્ય સમાજ ભવનોના નિર્માણ કાર્ય કરેલ છે.
તેમજ તેમના વડપણ તીર્થ સ્થાન એવા હરીદ્વાર અને મથુરા ખાતે જમીન ખરીદી થઇ ગયેલ છે. અને એ જમીન પર આગામી સમયમાં ભવ્ય સમાજ ભવનું નિર્માણ કરવાના કામની શરૂઆત કરવામાં આવશે. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું ભવ્ય સન્માન કરાયુ હતું. આ તકે ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઇ પટેલ રાજકોટ, વસંતભાઇ ગજેરા સુરત, રાજૂભાઇ હીરપરા-જેતપુર, વિરજીભાઇ વેકરીયા-જેતપુર, અરવિંદભાઇ ત્રાડા-રાજકોટ, રમેશભાઇ ધડુક, ગોંડલ, મનસુખભાઇ દેવાણી-જામનગર, ગોવિંદભાઇ રાણાપરીયા -સાજડીયાળી, વિઠલભાઇ, કેગ્રેસ સહિતના લોકો હાજર રહેલ હતાં. અને સમાજના દાતાશ્રીઓ સામાજીક અને રાજકીય અગ્રણીઓ, વડીલો અને યુવાન મીત્રોએ સમાજના નિર્માણમાં તન, મન, ધનથી સહકાર આપવા અપીલ કરાઇ