કેશોદમાં પ્રિન્ટ મીડિયા પત્રકાર સંઘની સ્થાપના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ દવે મંત્રી તરીકે મનિષભાઈ મહેતાની વરણી
કેશોદ,તા.૧૬: કેશોદનાઙ્ગ પત્રકારોની એક બેઠક તાજેતરમાંઙ્ગ મળી હતી. તેમાં પત્રકારો નાઙ્ગ મજબૂતઙ્ગ સંગઠન માટે થઈ એક પ્રિન્ટ મીડિયા પત્રકાર સંઘની રચના કરવામાં આવી છે.ઙ્ગ આ મીટીંગમાં સિનિયર પત્રકારોમાં ભરતભાઇ કકકડઙ્ગ સંદેશ, રાકેશભાઈ કાનાબાર ગુજરાત સમાચાર - જયહિંદ, પ્રકાશભાઈ દવે KTV ટી. વી. - સાંજ સમાચાર - અબતક -ઙ્ગ ગુજરાત મીરર,મનીષભાઈ મહેતા ફુલછાબ, સંજયભાઈ દેવાણી અકિલા સહીતના પત્રકારો ઉપસ્થિતિ રહયા હતા.જેમાંઙ્ગ પ્રિન્ટ મીડિયા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ દવેનીઙ્ગ તેમજ મંત્રી તરીકે મનિષભાઈ મહેતાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. તેમજ કારોબારી સમિતિમાં રાકેશભાઈ કાનાબાર, ભરતભાઇ કકકડ, સંજયભાઈ દેવાણીનીઙ્ગ વરણી કરવામાં આવી છે.ઙ્ગ આ તકે નવ નિયુકત પ્રમુખ પ્રકાશભાઈ દવે એ જણાવ્યું હતું કે આ શહેર ના જાણીતાં પત્રકારો નું આ યુનિયન કેશોદ વિસ્તારના લોકોના પ્રાણ પ્રશ્ર્નોને સાચા અર્થમાં વાચા આપશે.