ગોંડલના શ્રીરામ મંદિરે ગુરૂપુર્ણિમા પર્વની ઉજવણીઃ પૂ. હરિચરણદાસજી મહારાજનાં આર્શિવાદ લેતા ભાવિકો
ગોંડલના શ્રીરામ મંદિરે કાલે ભાવભેર ગુરૂપૂર્ણિમાની ઉજવણી થશે. જેના ભાગરૂપે સોમવાર રાતથી જ અખંડ રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મંગળવારે ભાવિકોના ઘોડાપુર ઉમટયા છે તે પૂર્વે જ રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરાઇ છે. ગોંડલ શ્રીરામ મંદિરે મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજની ઉપસ્થિતિ વચ્ચે ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરાઇ છે. આ ધર્મોત્સવના અનુસંધાને મંદિરના સ્વયંસેવકોએ સેવકોએ તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. ગુરૂપૂર્ણિમામાં મહારાજશ્રીના દર્શન કરવા માટે હજારો ભાવિકો ઉમટયા છે. ઉજવણીના ભાગરૂપે જ સોમવારે રાત્રીના મંદિરના પટાંગણમાં અખંડ રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મંગળવારે સવારે ૬ વાગ્યે હરિચરણદાસ બાપુએ તેના ગુરૂ રણછોડદાસજી મહારાજનું પૂજન કર્યુ હતું. ત્યારબાદ ભાવિકોને દર્શન આપી આશિવચન પાઠવ્યા આ પ્રસંગે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. (તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ)