સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th July 2019

ભાવનગરમાં યુવકનો આપઘાત

ભાવનગર, તા. ૧૬ કાળીયાબીડ રામમંત્ર મંદિર નજીક આઝાદનગર વિસ્તારમાં રહેતા અનીલભાઇ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.૪ર)નામના યુવાને તેના ઘેર કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા  વહોરી લીધી હતી. આ અંગે એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

સર્પદંશથી  મોત

 ભુંભલી ગામે રહેતા મોહનભાઇ દેવજીભાઇ સેતા (ઉ.વ.૬૦) તેની વાડીએ કામ કરી રહયા હતા ત્યારે સર્પે દંશ દેતા તેનું મોત નિપજયું હતું.

(11:31 am IST)