સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th July 2018

ગીરગઢડા-ઉનામાં મેઘ તાંડવઃ ૯II થી ૧૦II ઇંચ

જાફરાબાદ-૪, મહુવા-૩II, ઉમરાળા-રાજુલા-ર, ભાવનગર-તળાજામાં દોઢ ઇંચઃ રાજુલામાં ર ઇંચ વરસાદ પડયો

રાજકોટ, તા., ૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે અને કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી રહયો છે. આજે સવારના ૮ થી બપોરના ર વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડામાં ૧૦II ઇંચ અને ઉનામાં ૯II ઇંચ વરસાદ ખાબકયો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયું છે.

ઉનાના પ્રતિનિધી નવીન જોશીના અહેવાલમાં જણાવાયું છે કે ભારે વરસાદના કારણે મહેતા હોસ્પીટલ સહિત અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જયારે ગીરગઢડામાં ૧૦II ઇંચ જેટલો વરસાદ પડતા ઉમેદપરા રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા ગીર સોમનાથમાં મહેરબાન થતા  અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

આજે સવારના  ૮ વાગ્યાથી બપોરના ર વાગ્યા સુધીમાં કોડીનારમાં ૧ ઇંચ, તાલાળામાં એક ઇંચ અને વેરાવળ તથા સુત્રાપાડામાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

ભાવનગર જીલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને મહુવામાં વધુ ૩II ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે ભાવનગર અને તળાજામાં દોઢ ઇંચ, ઘોઘામાં ર ઇંચ, સિંહોર-જેસર-ઉમરાળા-વલ્લભીપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

જુનાગઢ જીલ્લાના કેશોદ અને વિસાવદરમાં ૧-૧ ઇંચ જયારે ભેંસાણ-જુનાગઢ-માળીયા હાટીના-મેંદરડા-માંગરોળ-વંથલીમાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

અમરેલી જીલ્લાના જાફરાબાદમાં ૪ઇંચ  અને રાજુલામાં બે ઇંચ જયારે ખાંભા અને સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે ધારી અને લાઠીમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા-ચુડા અને થાનમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે બોટાદ અને બરવાળામાં ઝાપટા વરસ્યા છે.

રાજકોટના ગોંડલમાં ૧ ઇંચ જયારે કોટડા સાંગાણીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. લોધીકા-ઉપલેટા અને રાજકોટ શહેરમાં મેઘાવી માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસ્યા છે. મોરબીમાં ૭ મી.મી., વાંકાનેરમાં ર મી.મી., માળીયા મીયાણા-૬ મી.મી. અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

(3:47 pm IST)