સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th June 2018

અમરેલી જીલ્લાના ધારી ખોડીયાર મંદિરના ઘુનામાં ન્હાવા પડેલ બે યુવકોના ડુબી જવાથી મોત

અમરેલીઃ અમરેલી જીલ્લાના ધારીના ખોડીયાર મંદિરના ઘુનામાં ન્હાવા પડેલ બે યુવકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના પિયુષ વિનુભાઇ ચૌહાણ (ઉ.વ.૧૭) અને વિશાલ વિપુલભાઇ ચૌહાણ (ઉ.વ.૧૮) ધારીના ખોડીયાર મંદિરે ઘુનામાં ન્હાવા પડયા હતા. ત્યારે અચાનક ડુબવા લાગતા સ્થાનીકો અને તરવૈયાઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ આ બંન્ને યુવકો પાણીમાં ડુબી જતા મોત નિપજયા હતા. પોલીસ અને સ્થાનીક તરવૈયાઓની ટીમે બંન્નેના મૃતદેહોને બહાર કાઢી ધારી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. એક સાથે બે યુવકોના મોત નિપજતા નાના એવા મીઠાપુર ડુંગરી ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(7:14 pm IST)